ગાયત્રી પરિવાર, ગોંડલ "અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર-હરિદ્વાર" નું એક અભિન્ન અંગ છે. ગાયત્રી પરિવાર, ગોંડલની દરેક પ્રવૃત્તિઓ હરિદ્વાર સાથે સંલગ્નિત છે, જેની શાખા ગાયત્રી શક્તિ પીઠ ગોંડલ સંપૂર્ણપણે શ્રી ચંદુભાઇ જેરામભાઇ પટેલ (ચંદુબાપા) નાં સંચાલન મુજબ કાર્યશીલ છે. ચંદુબાપાનો મૂળ પ્રયાસ વ્યસન મુક્તિ અને સમાજમાં પ્રવર્તેલા અનૈતિક રીવાજોમાં બદલાવ લાવવાનો છે.