Untitled Document
www.gayatripariwargondal.org
 
  અમારો સંપર્ક  
 
  સમાચાર તથા કાર્યક્ર્મો  
001
Date: 19-10-2009
પુસ્તકો નુ વિમોચન તથા સત્કાર સમારોહ
gayatri pariwar
  પ.પૂ.ગુરૂદેવ ની જન્મ શતાબ્દી ઉર્ફ સુજ્ન-સાધના વર્ષ...  
gayatri pariwar
રાજ્ય વ્યાપી આધ્યત્મિક -
વૈજ્ઞાનિક પ્રયોગ: વિરાટ ગાયત્રી મહાયજ્ઞ...
Gayatri Parivar Blog
http://gpgondal.com/
Suvichar
Untitled Document
arrow arrow arrow
Untitled Document
ધ્યેય દ્રષ્ટિકોણ પ્રવૃત્તિઓ દ્રશ્ય-શ્રાવ્ય ડાઉનલોડ ફોટોગ્રાફ અંશદાન
gayatri pariwar
gayatri pariwar

ગાયત્રી મંત્ર

|| ૐ ભૂર્ભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્‌ ||
 

શબ્દાર્થ

ઓમ : બ્રહ્મ
ભૂ : પ્રાણસ્વરૂપ
ર્ભુર્વ: : દુઃખનાશક
સ્વઃ : સુખસ્વરૂપ
તત્‌ :
સવિતુ : તેજસ્વી, પ્રકાશમાન
ર્વરેણ્યં : શ્રેષ્ઠ
ભર્ગો : પાપનાશક
દેવસ્ય : દિવ્યતાને આપનાર
ધીમહિ : ધારણ કરીએ છીએ
ધિયો : બુધ્ધિ
નઃ : અમારી
પ્રચોદયાત્‌ : પ્રેરીત કરે
 

ભાવાર્થ

તે પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતરઆત્માથી ધારણ કરીએ, તે પરમાત્મા અમારી બુધ્ધિને સન્માર્ગે પ્રેરીત કરે. ઈશ્વરના પ્રાણવાન, દુઃખરહિત, આનંદ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણ સંપસ્વરૂપનું ધ્યાન કરવાનું તાત્પર્ય એ છે કે, આ ગુણોને આપણે પોતાની અંદર લાવીએ. આપણા વિચાર અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપર્યુક્ત વિશેષતાઓ આપણા વ્યવહારીક જીવનમાં પરિલક્ષિત થવા લાગે. આ રીતની વિચારધારા, કાર્ય પધ્ધતિ તેમજ અનુભૂતિ મનુષ્યની આત્મિક અને ભૌતિક સ્થિતિને દિવસે દિવસે સમુન્નત બનાવતી જાય છે.

ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય ગુણસંપન્ન પરમાત્માને સંસારના કણ કણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય તેવો અનુભવ કરે છે.

મંત્રના ત્રીજા ભાગમાં સદ્‌બુધ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુધ્ધિને સન્માર્ગે પ્રેરિત કરી દો. કેમકે આ ભગાનની એવી એક મહાન કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ સમૃધ્ધિ તેની જાતે જ પ્રાપ્તિ થાય છે.

ગાયત્રી માતાની શિક્ષા છે કે બુધ્ધિને સાત્વિક બનાવો, આદર્શોને ઉંચા રાખો, ઉચ્ચ દાર્શનિક વિચારધારામાં રમણ કરો અને તુચ્છ તૃષ્ણાઓ તેમજ વાસનાઓ માટે આપણને નચાવનાર કુબુધ્ધિને ભૂલોકમાંથી બહિષ્કૃત કરી દો.

 
 
Untitled Document

શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ

ગાયત્રી પરિવાર, ગોંડલ

સંસ્થાપક શ્રી | વૈશ્વિક ઉપસ્થિતિ | સદ્પ્રવૃત્તિઓ | યુવા ચેતના | યુ ટ્યુબ પર અમે | અભિપ્રાય | પ્રશંસાપત્રો | સંપર્ક
                             
Copyright © 2009 Gayatri Pariwar. All Rights Reserved.