યુવા વર્ગ એ કોઈપણ દેશ કે તેમાં પ્રતિષ્ઠિત સમાજના ઘડતર માટેનો મૂળ પાયો છે. સક્ષમ યુવા વર્ગની મદદથી ભવિષ્ય સુરક્ષિત બને છે માટે આ બાબતોને ધ્યાનમાં રાખતા ગાયત્રી પરિવારે વિવિધ ઉદ્દેશ્ય સાથે યુવા ચેતનાની સ્થાપના કરી છે.
'યુવા ચેતના' એ યુવા વર્ગની સમસ્ત શક્તિઓનું પૃથ્થક્ક્રણ કરી સંચાલિત કરવાની યોજના છે જેથી દેશનું ભવિષ્ય સુરક્ષિત બનવાની સાથે ગુણકારી પણ બની રહે.
આ યોજના હેઠળ યુવાનો માટે અને યુવાનો દ્વારા અનેક પ્રવૃત્તિઓ વેગવંતી છે. જેનું બંધારણ નીચે મુજબ છે: